બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના વધતા જતા કેસોને લઈ નોંધ પાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો વધતા બનાસ મેડીકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ચેરમેન, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન, તેમજ ડોક્ટરોની ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શન, વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, સહિતની સુવિધાઓ વધારવા આવશે.
ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે. અને દિનપ્રતિદિન કોરોના પોઝિટિવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બનાસ મેડિકલ કોલેજમાં સુવિધાઓના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓ હેરાન ન થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરચૌધરી તેમજ બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીની ડોક્ટરોની અગત્યની બેઠક યોજાઇ હતી.
જેમાં બનાસ મેડીકલ કોલેજમાં અત્યારે સેન્ટ્રલાઈઝ ઓક્સિજનવાળા બેડની સંખ્યા 30 હતી. તેમાં 55 વધારી કુલ 85 સેન્ટ્રલાઈઝ ઓક્સિજન બેડની સુવિધા કરવામાં આવશે તથા 16 વેન્ટિલેટરની સુવિધા છે તેમાં 8 વધારી 24 વેન્ટિલેટર કરવાનો નિર્ણય લેવાયો છે.
આ સિવાય કોરોનાના દર્દી માટે 126 બેડની સુવિધા હતી. તેમાં પણ 135 જેટલા બેડની સુવિધા વધારવામાં આવશે. બનાસ મેડીકલ કોલેજમાં રોજેરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ઓક્સિજન બેડ પણ અત્યારે હાઉસફુલ થઈ ગયા છે. જેથી વધારાના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરમાંથી ડાયરેક્ટ ઓક્સિજન આપી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
From – Banaskantha Update