ડીસા તાલુકાના આસેડા ગામમાં ગતરોજ અજાણ્યા ઇસમો દ્વારા બંદૂકના ભડાકે અબોલ પશુ નીલગાયની હત્યા કરતા સમગ્ર પંથકમાં અસામાજિક તત્વો પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે.
આ અંગે ફોરેસ્ટ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના આસેડા ગામના પ્રજાપતિ શાંતિભાઈ ચહેરાભાઈના ખેતરમાં નીલગાયનો શિકાર કરી હત્યા કરેલ હોવાની પાલનપુર ડિવિઝનથી મેસેજ મળતા નાયબ વન સંરક્ષક સામાજિક વનવિભાગના અધિકારી બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢના RFO ભરતભાઇ ચૌધરી તથા ડીસાના RFO લાલજીભાઇ રાયડા તથા વનપાલ આઇ.સી રબારીએ તાત્કાલિક આસેડા ગામમાં જઇ ધટના સ્થળે પહોંચી નિલગાયના મૃતદેહનો કબજો મેળવી વેટરનરી ડોક્ટર દ્વારા પી.એમ કરાવી ત્યારવબાદ નીલ ગાયના મૃતદેહની દફનવિધિ કરી આગળની તપાસ હાથ ધરી ગુનેગારોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે તેમજ અબોલ પશુની હત્યાના બનાવ પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપેલી જોવા મળી હતી અને આવા ક્રૂરતા પુવઁક હત્યા કરનાર હત્યારાઓ સામે આક્રોશ જોવા મળ્યો હતો. આવા તત્વોને સખ્ત સજા કરવાની માંગ ઉઠી છે.
From – Banaskantha Update