રાજ્યભરમાં કોરોના સંક્રમણ ફરી વાર પુર ઝડપે વધી રહ્યો છે. કોરોનાનો કહેર વધતાં લોકોમાં ફરી ડરનો માહોલ પેદા થયો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને દાંતીવાડામાં ફરી કોરોનાના કેસો સામે આવતા તંત્ર સાબદું બન્યું છે જિલ્લામાં કુલ નવ એક્ટિવ કેસ છે.
બનાસકાંઠા જિલ્લમાં છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી કોરોનાના કેસો સમયે આવી રહ્યા છે. જિલ્લા મથક પાલનપુરમાં પાંચ કોરોના કેસો સામે આવ્યા છે.
ડીસામાં બે અને દાંતીવાડામાંથી એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કોરોના કેસ ફરી આવતાં તંત્ર સતર્ક બન્યું છે, સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને રહેવા માટે સલાહ સૂચન કરવામાં આવી રહ્યું છે.
From – Banaskantha Update