બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના વાવ-ભોરલ ડીસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી ચોટીલ માઇનોર કેનાલમાં સિંચાઇ માટે પાણી ન મળતાં સ્થાનિક ખેડૂતો નર્મદા કચેરીએ પહોંચ્યા છે. જ્યારે રવિ સિઝન દરમિયાન પાક બળે તે પહેલા સિંચાઇ માટે પાણી આપવા વિનંતી કરાઇ છે.
બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાં પાણીના પોકાર ઉઠી છે. જેમાં વાવ-ભોરલ ડીસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી ચોટીલ માઇનોરમાં સિંચાઇનું પાણી 20 દિવસથી ન મળતાં સ્થાનિક ખેડૂતો રોષે ભરાઇ નર્મદા કચેરીએ પહોંચ્યા છે. જ્યારે રવિ સિઝન દરમિયાન પાક બળે તે પહેલાં કેનાલમાં પાણી આપવા માંગ કરાઇ છે.
જો કે, સ્થાનિક ખેડૂતો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિગમના અધિકારીઓ દ્વારા રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેના કારણે મંગળવારે ખેડૂતો એકત્રિત થઇ નર્મદા કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલીક ધોરણે પાણી છોડવા રજૂઆત કરી હતી.
આ અંગે ખેડૂત વેલાભાઇએ જણાવ્યું હતું કે, ‘ભોરલ ડીસ્ટ્રીબ્યુટરમાંથી છેલ્લા 20 દિવસથી પાણી મળતું નથી. નિગમના અધિકારીઓને કહીએ છીએ તેમ છતાં કોઇ ધ્યાન દોરવામાં આવતું નથી.
રાત્રે માઇનોરમાં પાણી વેડફાય છે. નિગમના અધિકારી કોઇ તપાસ કરવા જતાં નથી. 20 દિવસમાં એક જ વાર પાણી મોકલ્યું છે. પાણી નથી મળતું જેના લીધે પાક નિષ્ફળ જાય તેમ છે. જેથી સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલીક ધોરણે પાણી છોડવામાં આવે.’
From-Banaskantha update