પાલનપુર કલેકટર કચેરી ખાતે 121 મહેસૂલી કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા

- Advertisement -
Share

કોવિડ – 19 કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર પાલનપુર કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં 121 જેટલાં મહેસૂલી કર્મચારીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

 

 

જેમાંથી 3 કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. આ ત્રણ કર્મચારીઓમાં 1 કર્મચારી કલેકટર કચેરીની એન.આઇ.સી. શાખા, 1 કર્મચારી ભૂસ્તર શાખા અને 1 કર્મચારી અન્ય શાખામાં ફરજ બજાવે છે. જયારે 118 જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓના રિપોર્ટ નેગેટીવ આવતા આ કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

કોરોના રેપિડ ટેસ્ટ માટે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ સહિતના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ દાખવી તમામે ટેસ્ટ કરાવ્યો હતા. તેમના ટેસ્ટ નેગેટીવ આવતા તેઓ ઉત્સાહિત જણાતાં હતાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!