પાલનપુરથી મહેસાણા સુધી કરોડોના ખર્ચે 6 માર્ગીય હાઇવે બની રહ્યો છે. જે કામ ઘણા સમયથી ચાલે છે. તેમ છતાં કાણોદર હાઇવે નજીક આવેલ ખાડા ન પૂરાતાં અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે.
પાલનપુરથી મહેસાણા સુધી 6 માર્ગીય હાઇવેનું સમારકામ છેલ્લા લોકડાઉન સમયથી ચાલી રહ્યું છે. જ્યાં અવાર-નવાર રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ડાઇવર્ઝન આપવામાં આવી રહ્યા છે.
તેમ છતાં હજુ માર્ગ પૂર્ણ થયો નથી. જો કે, મહત્વની વાત એ છે કે, મહેસાણા-પાલનપુર સુધીનો માર્ગ કરોડોના ખર્ચે બની રહ્યો છે. જ્યાં મોટાભાગનું કામ પણ પૂર્ણ થવાના આરે છે.
તેમ છતાં કાણોદર હાઇવે નજીક આવેલ પુલ પર માત્ર 100 મીટરમાં 100 થી વધુ ખાડા પડેલા છે. જે કોન્ટ્રાક્ટરને દેખાતા નથી. જ્યાં દિવસભર પસાર થતાં વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે.
બીજી બાજુ શેરપુરા ગામથી કાણોદર હાઇવે સુધી જે.સી.બી. મશીન વડે રોડ ખોદી નાખતાં બાઇક સવાર ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જ્યાં રોડના કારણે કોઇ ચાલકનું મોત નીપજે તો જવાબદારી કોની તે એક મોટો સવાલ સતાવી રહ્યો છે.
From-Banaskantha update