સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 4,65,000 ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી તિજોરીનું તાળુ તોડી રૂ. 4,65,000 ના દાગીના સહીત રોકડની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
આ અંગે શિહોરી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના ઇશ્વરભાઇ જેઠાભાઇ દેસાઇનો પરિવાર રાત્રે સૂઇ રહ્યો હતો. ત્યારે મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.
જેમાં તિજોરીના તાળા તોડી તિજોરીમાં રહેલ સામાન વેરવિખેર કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 4,65,000 ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
જોકે, ઘરની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા પણ તોડી નાખીને ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે સવારે મકાન માલિક જાગ્યા ત્યારે ખબર પડતાં શિહોરી પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. પી.એન.જાડેજા
અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. આ અંગે શિહોરી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ ઇશ્વરભાઇ જેઠાભાઇ દેસાઇએ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update