થરાદના રાહ નજીકથી અટકેલું સુજલામ્‌-સુફલામ્‌નું પાણી આગળ વધતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

ખેડૂતોની રવિ સિઝનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

 

થરાદના રાહ નજીકથી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલની આગળની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા ન કરતાં પાણી આગળ વધતું ન હતું.
અને થરાદના 97 ગામોના પટ્ટામાં આવતાં ગામોના ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત રહી જતાં હતા. આથી ગુરુવારે રાહથી (ચાંગડા) સુધી પાણી વહેતું થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

રાહ નજીકથી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલની આગળની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા અધુરી પડેલી કામગીરી હાથ પણ ધરી દેવામાં આવી હતી.

 

જોકે, એક બાજુ ખેડૂતોની રવિ સિઝનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેની વચ્ચે કેનાલમાં રાહથી મોરથલ તરફ પાણી આગળ વધતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, ‘કેનાલમાં પાણી માત્ર ચૂંટણીઓ કે કોઇ મોટા નેતા આવવાના હોય ત્યારે માત્ર મત મેળવવા જ પાણી છોડાતું હોય છે.’

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!