અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમીરગઢ તાલુકાના ગંગાસાગર પાટીયા નજીક પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે ઉપર એક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં ટ્રેક્ટરનું સાઈડનું ટાયર આખુ અલગ પડી ગયું હતું તેમજ ટોલીના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા અને પોલીસની જાણ કરી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.
From – Banaskantha Update