પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંબાજી ગબ્બર પાછળ જંગલ વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગબ્બરના પાછળના ભાગે જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ દેખાતાં સમગ્ર ઘટનાની જાણ અંબાજી પોલીસને કરાઇ હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અંબાજી ગબ્બર પાછળ અજાણ્યા યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
અંબાજી પોલીસે આ યુવક કોણ છે અને મરવા પાછળનું કારણ શું છે તેને લઇ તપાસ અને તજવીજ હાથ ધરી હતી.
અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતાં મરનાર યુવક મોરબી જીલ્લાનો સંદીપ પ્રભુભાઇ રાદડીયા હોવાનું માલૂમ પડયું છે. સંદીપ નામનો યુવક ઘરે લેટર લખી અને નીકળ્યો હતો.
અંબાજી પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને યુવકના કાકા અને ગામના સરપંચને યુવકનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
From-Banaskantha update