આ સંઘમાં 40 થી વધુ ભક્તો જોડાઇ પગપાળા સંઘ લઇ રાજસ્થાનના કલવાના જવા નીકળ્યો છે : ભૈરવ બાબાના દર્શન કરી પરત ફરશે
છેલ્લા 25 વર્ષ જૂનો પગપાળા સંઘ શુક્રવારે ફરી રાજસ્થાનના કલવાનામાં નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સંઘ સાથે જોડાઇ પગપાળા ભૈરવ બાબાના દર્શન માટે નીકળ્યા હતા. યાત્રાધામ અંબાજીથી 4 દિવસનું પગપાળા સંઘ લઇ રાજસ્થાનના કલવાનામાં આ સંઘ પહોંચશે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામમાં હજારો, લાખોની સંખ્યામાં લોકો પગપાળા કરી સંઘ લઇ આવતાં હોય છે.
જયારે શુક્રવારે અંબાજીથી મોટી સંખ્યામાં લોકો પગપાળા સંઘ લઇ રાજસ્થાનના મેવાડમાં આવેલા કલવાના નીકળ્યા છે. અંબાજીમાં વસવાટ કરતાં રાજસ્થાની લોકો દ્વારા સંઘ લઇ પગપાળા કરી સેંકડો કિલોમીટર દર્શન માટે કલવાનામાં નીકળ્યા છે.
અંબાજીથી છેલ્લા 25 વર્ષથી આ સંઘ પગપાળા કરી રાજસ્થાનના મેવાડમાં આવેલા કલવાનામાં ભૈરવ બાબાના દર્શન માટે જતો હોય છે.
શુક્રવારે આ સંઘમાં 40 થી વધુ ભક્તો જોડાઇ પગપાળા સંઘ લઇ રાજસ્થાન નીકળ્યા છે. યાત્રાધામ અંબાજીથી 4 દિવસનું પગપાળા સંઘ લઇ રાજસ્થાનના કલવાનામાં પહોંચશે. ત્યારે કલવાનામા ભૈરવ બાબાના દર્શન કરી ફરી પરત અંબાજી આવશે.
From-Banaskantha update