થરાદમાં 2 મુસાફરોના પર્સ અને એક બેગની અજાણ્યા શખ્સો ચોરી કરતાં ચકચાર

- Advertisement -
Share

એસ.ટી. ડેપોના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોવાથી લોકોમાં આક્રોશ ભભૂક્યો

 

થરાદ બસ સ્ટેશનમાંથી મંગળવારે ગઠીયાઓએ 2 મુસાફરોના પર્સ અને એક બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, બસ સ્ટેન્ડના સી.સી.ટી.વી. કેમેરા બંધ હાલતમાં હોવાથી મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
થરાદ બસ બસ સ્ટેન્ડમાં બેઠેલા ગાંધીધામના ડાયાભાઇ સોલંકીની કપડાની બેગની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.

 

આ ઉપરાંત અન્ય 2 મુસાફરોના પર્સની પણ ચોરી થઇ હતી. આ અંગે તેઓ ડેપોમાં સી.સી.ટી.વી. કેમેરા ચેક કરાવવા જતાં જાણવા મળ્યું હતું કે, બસ સ્ટેન્ડના તમામ કેમેરા બંધ હાલતમાં છે.

 

આથી મુસાફરોમાં આક્રોશ ભભૂક્યો હતો. જયારે બીજી તરફ એસ.ટી. ડેપોમાં આવેલી પરબમાં પીવાનું પાણી પણ ન હોવાથી મુસાફરો પરેશાનીમાં મૂકાઇ રહ્યા છે.

 

જવાબદાર અધિકારી દ્વારા સત્વરે સી.સી.ટી.વી. કેમેરા ચાલુ કરી પાણીની પરબ પણ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!