વાવના કુંડળીયા ગામે એક ખેતરમાં બનાવેલ મકાનમાં અચાનક અગમ્ય કારોણસર આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું. જેમાં ઘરમાલિકને એક લાખથી વધુનું નુકશાન થવા પામ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના કુંડળીયા ગામે એક ખેતરમાં બનાવેલ મકાનમાં મોડી સાંજે અગમ્ય કારોણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતા ઘર વખરી, અનાજ અને રોકડ રકમ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયું હતું પરંતુ આગ લાગવાથી ઘરમાલિક તેમજ આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવી આગપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ લાગવાથી ઘરમાલિકને એક લાખથી વધુનું નુકશાન થવા પામ્યું હતું.
From – Banaskantha Update