વાવની ભાચલી માઇનોર-1 કેનાલના કામમાં ગેરરીતિ આચરાઇ : કેનાલમાં તિરાડો પડી જતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

પેટા કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતાં તિરાડો પડી હોવાનો આક્ષેપ

 

વાવની ભાચલી માઇનોર-1 ના કામમાં હલકી ગુણવતાનું કામ કરતાં તિરાડો પડી હોવાથી પેટા કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવતાવાળુ કરતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

 

વાવની ભાચલી માઇનોર-1 જૂની કેનાલ હતી. જે ચાંદરવા ગામની સીમમાં લીકેજ થતી હોઇ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જતું હોઇ કેનાલ તોડી નવી કેનાલ બનાવવામાં આવી છે.

 

જેનું કામ પણ હલકી ગુણવતાનું એસ્ટીમેન્ટ મુજબ કરવામાં આવ્યું નથી. જેને લઇ કેનાલમાં તિરાડો અને તળીયે ખેડૂતોએ હાથ ઘસતા રેતી આવે છે તેમજ સાઇડમાં પણ કેનાલમાં કાંકરા ખરી રહ્યા હોઇ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

 

આ અંગે ચાંદરવા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘જૂની કેનાલ લીકેજ થતી હોઇ તે તોડી નવી કેનાલ બનાવેલ તેમાં પણ એસ્ટીમેન્ટ મુજબ કામ કર્યું નથી.
કેનાલમાં હાથ ઘસવાથી પણ કેનાલમાંથી રેતી-કપચી ખરી રહી છે. તકલાદી કામ કર્યું હોઇ કોન્ટ્રાકટરને કામનું બીલ ચૂકવવામાં ન આવે અને આવા પેટા કોન્ટ્રાક્ટરોને કામ ન આપે તેવી અમારી માંગ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!