ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત વિવિધ સામાજીક સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા
ડીસામાં મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત વિવિધ સામાજીક સંગઠનોએ કેન્ડલ સળગાવી મૌન પાળ્યું હતું. જયારે મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુનો આંક ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે મૃતકોની આત્માની શાંતિ માટે ડીસામાં સાંઇબાબા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત વિવિધ સામાજીક સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ સળગાવી 2 મિનિટનું મૌન પાળી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને યાદ કર્યાં હતા.
સાથે સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતકોના પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
From-Banaskantha update