અંબાજીમાં યાત્રાળુઓનો ઘસારો : માઇભક્તોએ માઁ અંબાના ચરણોમાં સોના-ચાંદીનું દાન અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા

- Advertisement -
Share

શ્રદ્ધા અનુસાર માતાજીના મંદિરે દાન સ્વરૂપે સોનું-ચાંદી અર્પણ કર્યું

 

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની માઁ અંબાનું ધામ અંબાજી વિશ્વ વિખ્યાત છે.

ત્યારે માઁ અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતાં હોય છે. હાલમાં દિવાળી વેકેશન અને નવા વર્ષને લઇ માઁ અંબાના ધામમાં દર્શનાર્થીઓનો મોટો ઘસારો જોવા મળ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી માઁ અંબાના ધામમાં આવી માઁ અંબાના ચરણોમાં શિશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારે શ્રદ્ધા અનુસાર માતાજીના મંદિરે દાન સ્વરૂપે સોનું-ચાંદી પણ અર્પણ કર્યું હતું.

 

દિવાળીના નવા વર્ષ અને દિવાળી વેકેશનને લઇ યાત્રાધામ અંબાજીમાં તા. 24/10/2022 થી તા. 29/10/2022 સુધીમાં અંબાજી ધામમાં આવતાં દર્શનાર્થીઓએ અંબાના મંદિરે સોના અને ચાંદીનું પોતાના

 

શ્રદ્ધા અનુસાર દાન આપ્યું હતું. જેમાં 125.37 ગ્રામ સોનાના દાગીના, 146.23 ગ્રામ લગડી અને 2385.7 કિલોગ્રામ ચાંદીનું દાન અંબાજી મંદિરમાં આવ્યું હતું.

 

લાખોની સંખ્યામાં દિવાળી દરમિયાન આવેલા દર્શનાર્થીઓએ માઁ અંબાના ચરણોમાં શિશ નમાવી આશિર્વાદ મેળવી આસ્થા અનુસાર માઁ અંબાના મંદિરે દાન આપ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!