દિવાળીનો પર્વ હર્ષોઉલ્લાસ અને ખુશીનો તહેવાર હોય છે. લોકો ખુશીથી દિવાળીનો ઉત્સવ ધૂમધામથી મનાવતા હોય છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે રાત્રીના સુમારે એક દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં અંબાજીમાં આવેલી જેકોરબા વાલી ધર્મશાળામાં આગ લાગવાની ઘટના બની હતી.
અંબાજીના જેકોરબા ધર્મશાલામાં મંડપના ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ લાગવાની ઘટનાનું કારણ હજી સામે આવ્યું નથી. તો આ આગના લીધે ધર્મશાળામાં રાખેલા મંડપના ગોડાઉનમાં મોટું નુકસાન થયું છે.
જેકોરબા વાળી ધર્મશાળામાં આગ લાગવાના કારણે લોકોના ટોળેટોળા થયા હતા . તો દેખતા દેખતા સાધારણ આગે એક વિરાટ રૂપ ધારણ કર્યું હતું. ત્યારે લોકોએ અંબાજીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો અંબાજી ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને અંબાજીના જેકોરબા વાલી ધર્મશાળામાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો.
From – Banaskantha Update