ઘટનાઓથી કઇ રીતે બચી શકાય તે અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
ડીસા સહીત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓ ઉપર છેડતી, દુષ્કર્મ અને અત્યાચાર જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ત્યારે આ અત્યાચારોનો ભોગ બનતી દીકરીઓમાં જાગૃતતા આવે અને જે કાયદાની કલમો છે તેનો યોગ્ય ઉપયોગ કરીને આરોપીઓને કડકમાં કડક સજા કઇ રીતે કરી શકાય અને આવી ઘટનાઓથી કઇ રીતે
બચી શકાય તે અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેથી કરીને આવા બનાવો અટકે. ત્યારે ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેશ્વરી સ્કૂલમાં પોકસો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં શાળાના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ચેતનાબેન ઠક્કર (એડવોકેટ), સુભાષભાઇ ઠક્કર, શાળાના ટ્રસ્ટી ડો. સુનિલભાઇ આચાર્ય, શાળાના આચાર્ય સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update