અંબાજીના પૂજારીઓ દ્વારા રાજ્યપાલને તિલક કરી માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું
અરવલ્લીની ગિરીમાળાઓમાં બિરાજમાન માં જગતજનની અંબાનું ધામ વિશ્વ વિખ્યાત છે. તો માં અંબાના દર્શન કરવા દૂરદૂરથી માઇભક્તો અંબાજી આવતાં હોય છે.
માં અંબાના દર્શન અને માંના ચરણોમાં શિશ નમાવવા દેશ-વિદેશથી માઇભક્તો અંબાજી આવતાં હોય છે. માં અંબાના ધામે નેતા-અભિનેતા માંના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે.
જ્યાં બુધવારે મધ્યપ્રદેશના રાજ્યપાલ અંબાજી આવી પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલે માતાજીના મંદિરે પહોંચી માં અંબાના દર્શન કર્યાં હતા.
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલને અંબાજીના પૂજારીઓ દ્વારા તિલક કરી માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ મંગુભાઇ પટેલે માં અંબાના દર્શન કરી માતાજીના ચરણોમાં શિશ નમાવી માતાજીનો આશિર્વાદ મેળવ્યા હતા.
મધ્યપ્રદેશના રાજ્યપાલે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના પણ કરી હતી અને મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ જોડે આશિર્વાદ પણ મેળવ્યા હતા.
તો સાથે સાથે તેમણે મધ્યપ્રદેશના-દેશના તમામ નાગરિકોનીના સુખાકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
From-Banaskantha update