પરિવારે સોનું દાન કરી માતાજીના ચરણોમાં શિશ નમાવી આશિર્વાદ મેળવ્યા
આજના યુગમાં મોટાભાગના પરિવારો પોતાના ઘરે દીકરાનો જન્મ થાય તેવી આશા સેવતા હોય છે. જયારે આ આશા સફળ ન થતાં નારાજી અનુભવતાં હોય છે. તો ઘણા લોકો અવનવી માનતાઓ પણ રાખતાં હોય છે.
ત્યારે મંગળવારે અનોખો બનાવ બનવા પામ્યો છે. જેમાં અમદાવાદના સાણંદના માઇ ભક્તે દીકરીના જન્મ માટે માતાજીને માનતા રાખી હતી. જે બાદ તેમને ત્યાં પુત્રીનો જન્મ થતાં અંબાજી મંદિરમાં 251 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.
પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે મંગળવારે નવરાત્રિનું બીજું નોરતું છે. અંબા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભક્તોની ભીડ જામી છે.
ત્યારે અમદાવાદના સાણંદના માઇ ભક્તના ઘરે માનતા માન્યા બાદ પુત્રીનો જન્મ થતાં અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં પુત્રીને સાથે લઇ સાણંદના માઇભક્તે સોનાનું દાન આપ્યું છે.
મોટાભાગે લોકો પુત્ર માટે માનતાં રાખતાં હોય છે. ત્યારે અમદાવાદના સાણંદના માઇભક્તે પુત્રી જન્મની માનતાં માની હતી. પુત્રીનો જન્મ થતાં પરિવાર સાથે અંબાજી પહોંચી અંબાજી મંદિરમાં રૂ. 13,11,000 ના સોનાનું દાન કર્યું છે.
અમદાવાદના સાણંદના માઇભક્તે માતાજીને માનતા માની હતી કે, પોતાના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થાય તો 251 ગ્રામ સોનાનું માતાજીને દાન કરીશું.
ત્યારે માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરતાં પરિવાર સાથે મંગળવારે સોનું દાન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરને નવરાત્રિના પાવન બીજા દિવસે સુવર્ણ દાન મળ્યું છે.
અમદાવાદના સાણંદના માઇભક્ત દ્વારા દાન કરેલા સોનાની કુલ કિંમત રૂ. 13,11,000 અંદાજીત છે. 100-100 ગ્રામના 2 બિસ્કીટ અને 50 ગ્રામનું 1 બિસ્કીટ અને 1 ગ્રામની લંગડી એમ મળી કુલ 251 ગ્રામ
સોનાનું દાન કરાયું હતું. અમદાવાદના સાણંદના માઇભક્ત પરિવારની માતાજીએ મનોકામના પૂર્ણ કરતાં અંબાજી મંદિર આવી સોનું દાન કરી માતાજીના ચરણોમાં શિશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.
From-Banaskantha update