અમીરગઢના ધનપુરાની સગીરા પર 2 શખ્સોએ દુષ્કર્મ આચરતાં ચકચાર

- Advertisement -
Share

સગીરાની માતાએ 2 શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

અમીરગઢના ધનપુરા ગામમાં કુદરતી હાજતે ગયેલી સગીરા પર બળજબરીથી ગેંગરેપની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે અમીરગઢ પોલીસ મથકે સગીરાની માતાએ 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, મહીલા પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. મહીલાઓ પર દુષ્કર્મની ઘટના પણ એક પછી એક સામે આવી રહી છે.

 

ત્યારે શનિવારે સવારે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં કુદરતી હાજતે ગયેલી સગીરા પર 2 શખ્સો દ્વારા બળજબરીથી ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ પીડીત સગીરા સાથે દુષ્કર્મ કરનાર 2 શખ્સો સામે સગીરાની માતાએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ આચરનાર વિક્રમજી તલાજી ઠાકોર (રહે. ધનપુરા) અને કિશનજી શંકરજી ઠાકોર (રહે. જોરાપુરા) વાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!