ઇજાગ્રસ્ત ગાયોને ગૌ સેવા સંસ્થાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાઇ
પાલનપુર-અમદાવાદ હાઇવે પર બસ ચાલકે 5 ગાયોને અડફેટે લીધી હતી. જેથી 3 ગાયોના મોત નિપજ્યા છે અને 2 ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માતની ઘટનાને પગલે ગૌ સેવકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ગાયોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોના કારણે અનેક લોકો અને પશુઓએ જીવ ગુમાવ્યા છે.
ગઇકાલે ટેન્કર ચાલકે એકટીવાને પાછળથી ટક્કર મારતાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટના હજી તાજી જ છે ત્યારે ગત રાત્રિના સમયે એક બસ ચાલકે પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર 5 ગાયોને અડફેટે લેતાં કમકમાટીભર્યાં 2 ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે 3 ગાયોને ગંભીર ઇજાઓ પહોંચતાં જીવદયાપ્રેમીઓએ ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત ગાયોને ગૌ સેવા સંસ્થા પાલનપુરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાઇ હતી.
જોકે, સારવાર દરમિયાન વધુ એક ગાયનું મોત થતાં અકસ્માતમાં કુલ 3 ગાયોના મોત નિપજ્યા છે. જયારે હાલ 2 ગાયોની સારવાર ચાલી રહી છે.
From-Banaskantha update