દિયોદરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

- Advertisement -
Share

પાલડી-રતનપુરાથી ભીલડીને જોડતો રેલ્વે લાઇન નીચે અંડરપાસમાં પાણી ભરાયું

 

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે દિયોદરમાં પણ સોમવારે પાલડી-રતનપુરાથી ભીલડીને જોડતો રેલ્વે લાઇન નીચે બનાવેલા અંડરપાસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થઇ ઉઠયા હતા.
જયારે અંડરપાસમાં ભરાયેલા પાણીના કારણે ઇકો ગાડી પણ ફસાઇ ગઇ હતી અને સ્થાનિક લોકોએ 2 કલાકની ભારે જહેમત બાદ બહાર નીકાળી હતી. દર વર્ષે આ અંડરપાસમાં પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદનું આગમન થયું હતું. આ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ત્યારે અનેક રોડ-રસ્તાઓ ધોવાતાના કારણે વાહનચાલકોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે દિયોદરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયું હતું.
પાલડી-રતનપુરાથી ભીલડીને જોડતો રેલ્વે લાઇનની નીચે બનાવેલ અંડરપાસમાં વરસાદના કારણે પાણી ભરાઇ જવા પામ્યો હતો.
પાણી ભરાવાના કારણે એક ઇકો ગાડી ફસાઇ ગઇ હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોએ 2 કલાકની ભારે જહેમત બાદ ઇકો ગાડીને બહાર કાઢી હતી.
પરંતુ દર વર્ષે ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને લોકો માંગ કરી રહ્યા છે કે, ‘દર વર્ષે ચોમાસાના કારણે ભરાતાં પાણીનો કાયમી નિકાલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!