પાલનપુર-રાજસ્થાન નેશનલ હાઇવે પર ખાડાઓથી વાહનચાલકો ત્રસ્ત

- Advertisement -
Share

રેલ્વે ઓવરબ્રિજ નજીક વરસાદી પાણી ભરાવાના કારણે રોડ પર ઠેર–ઠેર ખાડાઓનું સામ્રાજ્ય

 

બનાસકાંઠા જીલ્લામાંથી નેશનલ હાઇવે પસાર થાય છે. જેમાં પાલનપુર નજીક નવા બની રહેલા રેલ્વે ઓવરબ્રિજની પાસે વરસાદી પાણી ભરાવાના કારણે નેશનલ હાઇવે પર ખાડાઓ પડતાં વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા હાઇવે પર પડતાં ખાડાઓ પૂરવામાં આવે છે. પરંતુ વરસાદી પાણી ભરાવાના કારણે અવાર-નવાર એક જગ્યાએ ખાડાઓ પડતાં હોય છે.

રાજસ્થાન આબુરોડથી પાલનપુર તરફ આવી રહેલા રોડ પર પાલનપુર નજીક બની રહેલા રેલ્વે ઓવરબ્રિજ નજીક નેશનલ હાઇવેના રોડ વચ્ચે ખાડાઓ પડતાં વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, તંત્ર દ્વારા રોડ પર મોટા ખાડા પૂરવામાં તો આવે છે. પરંતુ વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાવાના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી બનાવેલા રોડ આ જગ્યાએ જ તૂટી જતાં હોય છે.

 

જોકે, નેશનલ હાઇવે હોવાના કારણે રાજસ્થાન તરફથી આવતાં પૂરપાટઝડપે વાહન ચાલકો આવતાં હોય છે અને ખાડામાં ખાબકતાં હોય છે.
જેના કારણે કેટલાંક વાહનોને નુકશાન પણ પહોંચતું પણ હોય છે. આ રોડ પરથી અવર-જવર કરતાં વાહન ચાલકોની માંગ છે કે, ‘સત્વરે આ જગ્યાએ જ રોડ તૂટવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!