ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાના દાંતા પંથકમાં આવેલ અર્જુની નદીમાં નવા નીર આવ્યા. તેમજ દાતા પંથકમાં સારા વરસાદથી અને નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં અને લોકોમાં ખુશી જોવા મળી છે.
ગત ચોમાસામાં જોઈએ તેઓ વરસાદ ન થવાથી સમગ્ર બનાસકાંઠામાં ત્રણેય જળાશયો ખાલી ખમ જોવા મળ્યા હતા તેમ જ દિવસેને દિવસે જમીનના તળ ઊંડા જઇ રહ્યા હતા જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ જળ સંકટના એંધાણ સેવાઇ રહ્યા હતા.
પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ થવાની શરૂઆત થઈ છે જેને લઇને બનાસકાંઠા જિલ્લાના તમામ લોકોમાં ખુશી જોવા મળી હતી ત્યારે આજે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાતા પંથકમાં આવેલ અર્જુની નદીમાં નવા નીર આવ્યા હતા.
તેમજ દાંતા પંથકના પણ સારો એવો વરસાદ થતાં લોકો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો તો બીજી તરફ પાલનપુર અને દાંતીવાડામાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને ગાજવી સાથે વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટથી ત્રાહિમામો પોકારેલા લોકો ઠંડકની રાહત અનુભવી હતી આ ભારે વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારમાં તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણીની ભારે અછત વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.
From – Banaskantha Update