રાજસ્થાનથી અમદાવાદ પશુઓને કતલખાને લઈ જતી બે ટ્રકને પાલનપુર પાસેથી જીવદયા પ્રેમીઓ ઝડપી પાડી હતી. બે ટ્રકમાં 86 પશુઓમાંથી ત્રણ પશુઓના મોત થયા હતા. જીવદયા પ્રેમીઓએ તમામ પશુઓને ડીસા ગૌશાળા ખાતે ખસેડયા હતા. તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પશુઓને કતલખાને લઈ જવા માટે મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. તેમજ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે જીવદયા પ્રેમીઓ આગળ આવી કતલખાને જતા પશુઓને અટકાવી તેમના જીવ બચાવવામાં આવી રહ્યા છે. ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે.
જેથી રાજસ્થાનમાંથી પશુઓને ગેરકાયદેસર મોટા પ્રમાણ કતલખાને લઈ જવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. તેમજ પશુઓને કતલખાને જતા અટકવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ મોટા પ્રમાણમાં પશુઓને કતલખાને જતા બચાવી તેમના જીવ બચાવવા આવી રહ્યા છે.
ત્યારે આજે વધુ બે પશુ ભરેલ ટ્રકને જીવદયા પ્રેમીઓએ પાલનપુર નજીકથી ઝડપી પાડી. જીવદયાપ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બે ટ્રકમાં પશુ ભરી કતલખાને લઈ જઈ રહ્યા છે. જે બાદ જીવ દયા પ્રેમીઓ દ્વારા આ બે ટ્રકને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી આ બે પશુ ભરેલ ટ્રક પાલનપુરથી અમદાવાદ જઈ રહી છે.
જે બાદ જીવદયા પ્રેમીઓએ બે ટ્રકને ઝડપી પાડી હતી પરંતુ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે બાદ જીવદયાપ્રેમીઓએ તાત્કાલિક પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ બંને પશુ ભરેલ ટ્રકને ડીસા ખાતે આવેલ જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ લઈ જવાઈ હતી.
આ ટ્રકમાં જોતા ખીચો ખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે પૂરતા પૂર્વક તમામ પશુઓને ભરેલ હતા તેમજ ઘાસની તેમજ પાણીની કોઈ પ્રકારની વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી. જે બાદ પશુઓને ગણતા બે ટ્રકમાં 86 જેટલા પશુ ભરેલ હતા તેમાં ત્રણ પશુઓના મોત નિપજ્યા હતા. જે બાદ જીવદયા પ્રેમીઓએ આ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા હતા ટ્રક ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.