ડીસામાં ભગવાન જગન્નાથ માહાત્મ્ય વિષય ઉપર પ્રવચન યોજાશે

- Advertisement -
Share

ભગવાન જગન્નાથના માહાત્મ્ય ઉપર પ્રવચન અદ્વૈત વેદાંત વિષય ઉપર ડોક્ટરેટ (P.H.D.) ગોલ્ડ મેડાલીસ્ટ વિદુષી ડૉ. ગાર્ગી પંડીત (વડોદરા) આપશે

 

ડીસામાં આવનારી રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં એટલે કે, કચ્છી કોલોનીમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન છે.

ત્યારે ગત પૂર્ણિમાથી ભગવાનને ભક્તિ ભાવપૂર્વક અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તે જ શ્રેણીમાં આવતીકાલે એટલે કે, તા. 19/06/2022, રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે ભગવાન જગન્નાથ માહાત્મ્ય વિષય ઉપર વિશેષ પ્રવચન કાર્યક્રમ યોજાશે.

 

જેમાં ભગવાન જગન્નાથના માહાત્મ્ય ઉપર પ્રવચન અદ્વૈત વેદાંત વિષય ઉપર ડોક્ટરેટ (P.H.D.) ગોલ્ડ મેડાલીસ્ટ વિદુષી ડૉ. ગાર્ગી પંડીત (વડોદરા) આપશે.

 

આ કાર્યક્રમમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ, મંદિરના સંચાલક ગોવિંદભાઇ મહારાજ અને મુન્નાભાઇ મહારાજે ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!