વાવના લોદ્રાણી ગામમાં શુક્રવારે માલધારીના 16 ઘેટાઓએ ઝેરી ખોરાક આરોગતાં મોતને ભેટ્યા છે. જ્યારે 16 ઘેટાઓના મોત નિપજતાં માલધારી પરિવાર આભ તૂટી પડયું છે. માલધારી પરિવારે સરકાર પાસે આર્થિક મદદની માંગ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના વાવના લોદ્રાણી ગામમાં એક માલધારી પરિવાર પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
ત્યારે શુક્રવારે માલધારી પરિવારના 16 ઘેટાઓએ ઝેરી ખોરાક આરોગતાં મોત નિપજયા હતા. એક સાથે 16 પશુઓનું મોત થતાં માલધારી પરિવાર આભ તૂટી પડયું છે.
માલધારી પરિવારના એક સાથે 16 પશુઓના મોત થતાં ગામના તલાટી કમમંત્રી અને સરપંચ સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પંચનામું હાથ ધર્યું હતું.
માલધારી પરિવારના 16 પશુઓના મોત ઝેરી ખોરાક આરોગવાથી થયા હોવાનું અનુમાન થયું છે. જ્યારે માલધારી પરિવારના એક સાથે 16 ઘેટાઓના મોત નિપજતાં માલધારી પરિવારે સરકાર પાસે આર્થિક મદદની માંગ કરી છે.
From-Banaskantha update