પાલનપુરના કૈલાશનગર વિસ્તારમાં પંદર દિવસથી પીવાનું પાણી ન આવતાં મહિલાઓ રોષે ભરાઇ હતી. પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં ન આવતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. બેચરપુરા નજીક આવેલ કૈલાશ નગર વીર એપાર્ટમેન્ટની સામેના વિસ્તારમાં પંદર દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ આક્રોશમાં જોવા મળી હતી જેને લઇ વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી આવતું નથી મોટર ચાલુ કરવા છતાં પણ પાણી આવતું નથી કેટલીય વાર પાલિકાના નગરસેવક અને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇપણ કર્મચારી અહી જોવા પણ આવતા નથી તેવા આક્ષેપો કર્યા હતા અને અમારી માંગણી સંતોષાઈ નહીતો અહીંના તમામ રહીશું કોઈપણ પ્રકારનો વેરો ભરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.
મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણી ના આવતા અહીંના સ્થાનિકોએ રૂપિયા 10 હજારના ખર્ચો કરી ત્રણ ત્રણ વખત નળ કનેકશન લીધા તેમ છતાં પાણી આવતું નથી તેમજ પાલિકા દ્વારા કોઈપણ જાતની ટેન્કર પણ આપવામાં આવતું નથી. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે પાલિકાના નગરસેવકને રજૂઆત કરી ત્યારે નગરસેવકો આ વોર્ડ 8માં છે કોઇ કહે વોર્ડ 9માં છે આ અમારા વોર્ડમાં નથી આવતું તેમ કહી એકબીજા પર દોશનો ટોપલો ઢોળે છે તેવા આક્ષેપો કર્યા હતા.
From – Banaskantha Update