ડીસાના સાઈબાબા મંદિર ખાતે યોજાયેલ ભાગવત કથાની આજે પુર્નાહતી થયી

Share

ડીસાના સાઈબાબા મંદિરમાં સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમની પૂર્ણાહુતિ રવિવારના દિવસે કરવામાં આવી. ડીસાના વેપારી રૂપાજી માળી તેમના સુપુત્ર સ્વ.ખેતું માળીની આત્મને શાંતિ મળે તે હેતુથી ડીસા સાઈબાબા મંદિર ખાતે સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કર્યું હતું.

જેમાં કથાકાર પ.પૂ. આચાર્ય સુરેશભાઇ કાન્તીલાલ રાવલના મુખે કથા થઈ હતી. સાત દિવસ સુધી આ કથા ચાલી હતી જે કથાનું રવિવારની સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ કથામાં મોટી સંખ્યામા ડીસા અને આસપાસના વિસ્તારોના લોકો કથા સાંભળવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં કૃષ્ણ જન્મ અને કૃષ્ણ મામેરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરણાઈ અને ઢોલ સાથે નાચતે ગાજતે મામેરું પણ ભરવામાં આવ્યું હતું આ કથા સાંભળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

From – Banaskantha Update


Share