ધાનેરા ખાતે રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનો ઉભી ન રહેતા ધાનેરાના લોકોને મુશ્કેલી સર્જાતી હતી જેને લઈને આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે રેલવે મંત્રાલય ખાતે કેન્દ્ર સરકારના રેલ મંત્રી અશ્વિની કુમારને પત્ર લખી કરાઈ હતી રજુઆત.
બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા ખાતે એક્સપ્રેસ ટ્રેનો ઉભી ન રહેતા ધાનેરાના લોકોને મુશ્કેલી સર્જાતી હતી જેના કારણે અનેક વાર રેલ્વે ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ કોઇ નિર્ણય ન આવતા આખરે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ ધાનેરા રેલવે સ્ટેશન ઉપર એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહે એ બાબતે અને ધાનેરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેને લઈને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે કેન્દ્ર સરકારમાં ટ્રેનોના સ્ટોપેજને લઈને રેલવે મંત્રી અશ્વિનીકુમારને પત્ર લખ્યો હતો.
જેને લઈને રેલવે મંત્રાલય દ્વારા ધાનેરા રેલવે સ્ટેશનને અન્ય ટ્રેનોના સ્ટોપેજ મામલે ડિરેકટરોને તપાસ સોંપવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા કાર્યવાહી કરતા માગણી સંતોષાઈ હતી.
From – Banaskantha Update