જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસ ફોર્સ પર સોમવાર સાંજે હુમલો કર્યો છે. શ્રીનગરના જેવન વિસ્તારમાં ફાયરીંગનો અવાજ સંભળાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ પોલીસ બસ પર ફાયરીંગ કર્યું હતું. હુમલામાં 3 જવાન શહીદ થઇ ગયા છે. 14 જવાન ઘાયલ છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ, શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડથી ભારતીય રીઝર્વ પોલીસ (આઇ.આર.પી.) ની 9 મી બટાલિયનની ગાડી પસાર થઇ રહી હતી. આતંકવાદીઓએ તેમની બસ પર આડેધડ ફાયરીંગ કર્યું હતું.
પોલીસનું કહેવું છે કે, તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને ઝડપવા માટે મોટાપાયે પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
From-Banaskantha update