બનાસકાંઠામાં સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરાના સામરવાડા નજીક બુધવારે બપોરના સુમારે ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
[google_ad]
અકસ્માતમાં બાઇક ચાલક આશાસ્પદ યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં કમકમાટીભર્યું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે ધાનેરા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અકસ્માતની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના સામરવાડા નજીક બુધવારે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું.
[google_ad]
જેમાં ખીંમત ગામના ભૂપતસિંહ દરબાર (ઉં.વ.આ. 26) પોતાનું બાઇક લઇને સામરવાડા નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટઝડપે આવી રહેલ ટ્રેક્ટરની અડફેટે આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
[google_ad]
અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં લોહી લુહાણ હાલતમાં થઇ ગયા હતા અને તેમનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.
[google_ad]
આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને ધાનેરા રેફરલમાં પી.એમ. અર્થે ખસેડી હતી.
[google_ad]
આશાસ્પદ યુવકનું મોત નિપજતાં હોસ્પિટલમાં તેના પરિવારજનો અને સગા-સબંધીઓના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગે ધાનેરા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From-Banaskantha update