દિયોદરના ગોલાવી શાળામાં ડીપ્થેરીયા રસીકરણની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ગુરૂવારે એક જ પરિવારના 3 બાળકો ડીપ્થેરીયાની રસી લીધા બાદ તેઓને અચાનક ચક્કર આવતાં બેભાન અવસ્થામાં થઇ ગયા હતા. જેમને 108 વાન મારફતે તાત્કાલીક દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
[google_ad]
બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં થતાં ડીપ્થેરીયા નામના રોગને અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં 0થી 5 વર્ષ અને ધોરણ-1થી ધોરણ-10માં અભ્યાસ કરતાં 5 લાખ જેટલાં બાળકોને ડીપ્થેરીયાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
[google_ad]
ત્યારે દિયોદરના ગોલાવી શાળામાં ડીપ્થેરીયા રસીકરણની ગુરૂવારે કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક જ પરિવારના 3 બાળકો ડીપ્થેરીયાની રસી લેવા અર્થે આવ્યા હતા. જેમાં 3 બાળકો ડીપ્થેરીયાની રસી લીધા બાદ તેઓને અચાનક ચક્કર આવતાં બેભાન થયા હતા.
[google_ad]
જેમને 108 વાન મારફતે તાત્કાલીક દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રસીની આડઅસર થઇ છે કે અશક્તિના કારણે બાળકો બેભાન થયા જે સારવાર અને ચકાસણી બાદ સામે આવશે. ત્યારે ફરી કોરોના મહામારી વચ્ચે ડીપ્થેરીયાના રોગે માથું ન ઉંચકે તેને લઇને તંત્ર દ્વારા ડીપ્થેરીયા રોગને નિયંત્રણ કરવા માટે અગાઉથી રસીકરણનું આયોજન કરાયું છે. જોકે, બનાસકાંઠામાં અગાઉ પણ ડીપ્થેરીયાના કારણે અનેક બાળકો ભોગ બન્યા હતા.
[google_ad]
From – Banaskantha Update