બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના મામલતદારને ત્રણ કરતાં વધુ સ્થાનિક સંગઠનના જીવદયાપ્રેમીઓએ ભર બજારે ચાલતાં કતલખાના બંધ કરાવવા અંગે આવેદનપત્ર આપ્યું છે. જેમાં વાવ બસ સ્ટેન્ડ પાછળ ચાલતા અને થરાદમાં ચાલતાં કતલખાના બંધ કરવાની માંગ કરાઈ છે.
વારંવાર રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતા કોઇ જ કાર્યવાહી ન થતા કતલખાના બેરોકટોક ચાલી રહ્યા છે. જો કતલખાના બંધ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સરહદી છેવાડાના બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના મામલતદારને ત્રણ કરતાં વધુ સ્થાનિક સંગઠનના જીવદયાપ્રેમીઓએ ભર બજારે ચાલતાં કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં ભર બજારમાં આવેલ વાવ બસ સ્ટેન્ડ પાછળ ચાલતા અને થરાદમાં ચાલતાં કતલખાના બંધ કરવાની માંગ કરાઈ છે.
ભર બજારમાં કતલખાના ચાલતા હોવાથી જીવદયાપ્રેમીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. વારંવાર રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતા કોઇ જ કાર્યવાહી ન કરાતા કતલખાના બેરોકટોક ચાલી રહ્યા છે. જો કતલખાના બંધ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
From – Banaskantha Update