રાજય અને જિલ્લામાં કોરોના વાઈરસ જેવી મહામારી હોય ત્યારે તાલુકાની જનતાનું આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ગોળ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી હતી કે તાલુકામાં કોરોના સંક્રમણના કારણે ઓકશીજન સિલિન્ડરની ઉણપ સર્જાઈ હતી ત્યારે પ્રમુખ દ્વારા વડગામ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના ડેલીગેટઓને ઓકશીજન પ્લાન્ટનું સુચન કરતાં ભાજપ અને કોંગ્રેસના ડેલીગેટઓ દ્વારા પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઓકશીજન પ્લાન્ટ શરૂ કરવા સંર્વસમંતિ આપી હતી.
વડગામ તાલુકા પંચાયત દ્વારા સરકારને દરખાસ્ત કરતાં સરકાર દ્વારા મંજુર કરતા વડગામ સી.એચ.સી ખાતે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ગોળના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમા ભાજપ અને કોંગ્રેસના ડેલીગેટઓ હાજર રહ્યા હતા જયારે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ અને પ્રભારી નંદાજી ઠાકોર તેમજ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબારી સદસ્ય ડો.હિતેશભાઈ ચૌધરી અને વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિહ રાણા તેમજ વડગામ સચિવાલયના સરપંચ ભગવાનસિહ પી સોલંકી, વડગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ નથુંજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ભટોળ તેમજ ભાજપ અને કોંગ્રેસના ડેલીગેટઓ, આગેવાનઓ અને કાર્યકરઓ હાજર રહ્યા હતા.
From – Banaskantha Update