દિયોદરના જાલોઢા પી.એચ.સી ખાતે ફરજ બજાવતા ડોક્ટર ચેતન ચૌધરીની બદલી કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવા માટે આજરોજ ગ્રામજનો મેદાને ઉતરી પીએસસીને લોકોએ આજે તાળાબંધી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ જાલોઢા ગામ ખાતે આવેલ PHCમાં ફરજ બજાવતા ડોક્ટર ચેતન ચૌધરીની થરાદના દુધવા ખાતે બદલીના સમાચાર ગ્રામ જનોને મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ડોક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી અને આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ ડોક્ટરની બદલી રોકવા માટે પી.એસ.સીને તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી કે ડોક્ટર ચેતન ચૌધરીને જાલોઢા પીએચસી ખાતે જ રાખવામાં આવે.
From – Banaskantha Update