પાલનપુરના સુખ બાગ રોડ બિલ્ડરો દ્વારા રાતોરાત નાળું પુરી સ્કીમ ઊભી કરી દેવાતા સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો તેમજ વિપક્ષ નેતાઓ દ્વારા પણ ભાજપના મોટા માથાઓના ઇશારે બિલ્ડરોને ફાયદો કરાવવા નાળું પુરાયું હોવાનો આક્ષેપ પણ કરાયો છે અને જો તાત્કાલિક ધોરણે નાળું ખોલવામાં નહિ આવે તો વિપક્ષ નેતા અંકિતા ઠાકોર સહિત સ્થાનિકો ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે આવલે સુખબાગ રોડ પર એક નાળુ આવેલું છે. તે નાળું ગત મોડી રાત્રે બિલ્ડરો દ્વારા નાળું પૂરી રાતોરાત સ્કીમ ઊભી કરી દેવામાં આવી હતી. બિલ્ડરો દ્વારા રાતોરાત સ્કીમ ઊભી કરાતા સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો.
તેમજ વિપક્ષ નેતા અંકિતા ઠાકોર દ્વારા આક્ષેપો કર્યા હતા કે જિલ્લાના ભાજપના મોટા માથાઓના ઇશારે ફાયદો કરાવવા આ નાળું પુરાયું છે. રાતોરાત બિલ્ડરો દ્વારા નાળું પૂરી દેતા સ્થાનિક લોકો દ્વારા હંગામો મચાવ્યો હતો અને જો તાત્કાલિક ધોરણે નાળુ ખુલ્લું નહિ કરાય વિપક્ષ નેતા અંકિતા ઠાકોર સહિત સ્થાનિક લોકો ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
From – Banaskantha Update