પાલનપુરના ફતેપુર ગામમાં 2 દિવસ પહેલાં આધેડની હત્યાનો ભેદ પાલનપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો છે. પુત્રએ જમીનને લઇ પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુર ગામમાં 2 દિવસ પહેલાં સેંધાભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (ઉં.વ.આ. 65) ખેતરમાં હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી.
જે બાદ પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં પોલીસને મૃતક આધેડની હત્યાની તેના પુત્ર પર શંકા જતાં પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી હતી.
જે બાદ પોલીસે પૂછપરછમાં મૃતક આધેડના પુત્ર અને તેના પિતા નજીક જમીનની માંગણીને લઇ 2 દિવસ અગાઉ તેના પિતા ખેતરમાં સૂતા હતા.
તે દરમિયાન ઉંઘમાં ધોકાના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે પિતાની હત્યા કરનાર પુત્રને જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update