પોતાની પત્નીને પાંથાવાડા માર્કેટયાર્ડ જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા : મોડે સુધી ઘરે પરત ન ફર્યાં
ધાનેરાના વક્તાપુરા ગામમાંથી એક 36 વર્ષિય યુવક પોતાની પત્નીને સવારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં મારે કામ છે તેમ કહી નીકળ્યા હતા. જે બાદ ઘરે પરત ન ફરતાં 36 વર્ષિય યુવકના પરિવારે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક 36 વર્ષિય યુવક પોતાના ઘરેથી નીકળ્યા હતા અને પરત પોતાના ઘરે ન ફરતાં તેમના પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ધાનેરા તાલુકાના વક્તાપુરા ગામમાં રહેતાં હરદાભાઇ નાનજીભાઇ પટેલ (બુંબી) (ઉં.વ. આ. 36) તા. 08/10/2022 ના રોજ સવારે ઉઠીને ચા-પાણી કર્યાં હતા.
જે બાદ સવારના આશરે 9:00 વાગ્યે તેમની પત્ની ત્રીજાબેનને જણાવેલ કે, પાંથાવાડા માર્કેટયાર્ડમાં મારે કામ છે. જેથી હું પાંથાવાડા માર્કેટયાર્ડમાં જઇને પાછો આવું છું તેમ કહી નીકળ્યા હતા.
જે બાદ તેઓ મોડે સુધી ઘરે પરત ફર્યાં ન હતા અને તેઓ પોતાની પાસે મોબાઇલ પણ રાખતાં ન હોવાના કારણે તેમનો કોઇ સંપર્ક થયો ન હતો.
જયારે ગામમાં, આજુબાજુ અને સગા-સબંધીઓમાં તપાસ કરતાં હરદાભાઇનો કોઇ અત્તો-પત્તો મળ્યો ન હતો. આ અંગે વિહાભાઇ નગીનભાઇ પટેલે પાંથાવાડા પોલીસ મથકે પોતાનો ભાઇ ગુમ થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update