વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીમાં વર્તમાન પેનલની જીત થતાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

પરિવર્તન પેનલની હાર થઇ : વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 14 બેઠક પર વર્તમાન પેનલના 14 સભ્યોની જીત થઇ

 

વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીનું બુધવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં વર્તમાન પેનલે મેદાન માર્યું હતું. વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 14 બેઠક પર વર્તમાન પેનલના 14 સભ્યોની જીત થઇ હતી. જ્યારે પરિવર્તન પેનલની હાર થઇ હતી.

ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ બુધવારે જાહેર થયું હતું અને જેમાં વર્તમાન પેનલના તમામ સભ્યોની જીત થઇ હતી. વર્તમાન પેનલના ચેરમેન કેશરભાઇ ચૌધરીએ ખેડૂતોની જીત ગણાવી હતી.
છેલ્લા 10 વર્ષમાં વડગામ માર્કેટયાર્ડમાં ખેડૂતલક્ષી નિર્ણયો અને ખેડૂતોને થતાં ફાયદાને લઇ ખેડૂતોએ ફરી એકવાર ચેરમેન કેશરભાઇ ચૌધરી પર વિશ્વાસ મૂક્યો હતો અને ભવ્ય જીત અપાવી હતી.

આ અંગે વર્તમાન પેનલ ચેરમેન કેશરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. બહુ જંગી બહુમતીથી અમારા ખેડૂત વિભાગના 10 ઉમેદવારો અને વેપારી વિભાગના
4 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાયા છે. વડગામ તાલુકાની જનતાએ જનાદેશ આપ્યો છે અને ખેડૂતો ઉત્સાહથી મતદાન કરી અને વિજય અમને બનાવ્યા છે.’

 

 

 From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!