હિંદુ યુવા સંગઠન અને ગૌસેવકો દ્વારા ડીસામાં નાયબ કલેક્ટરને આવેદન પત્ર અપાયું

- Advertisement -
Share

લાખણી તાલુકાના નાણીમાં નિરાધાર ગાયોના નિકાલ માટે નાયબ કલેકટરને આવેદન આપી રજુવાત કરી અને જલ્દીથી નિકાલ આવે એ માટે ચર્ચા કરાઇ.

સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે નાણીમાં હજારોની સંખ્યામાં ગૌ વંશ છે અને ઉનાળાથી ચોમાસા સુધી દર વર્ષે ઘાસની અછત પડે છે અને મહત્વની વાત તો એ કે આટલી ગાયો માટે ઘાસનું ફંડ ભેગુ કેમ કરવું.

દર વર્ષે આ જ પરિસ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાની પાંજરાપોળ અને ગૌ શાળામાં ગૌ વંશને મોકલીને કાયમી નિકાલ માટે રજુવાત કરાઈ. રમેશભાઈ ઠક્કર, કરણભાઈ ચૌધરી, ઉત્તમભાઈ પ્રજાપતિ, કસ્યપ પટેલ, લલિતભાઈ ઠક્કર, તુષારભાઈ હાલાણી અને ભાવેશભાઈ ગેલોત હાજર રહી ડીસા પ્રાંત કચેરીમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુવાત કરાઈ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!