પાલનપુરમાં જીલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા જન જાગરણ પદયાત્રા યોજાઇ

Share

 

 

બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા લક્ષ્મણ ટેકરીથી કલેક્ટર કચેરી સુધી સોમવારે જન જાગરણ યાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરી સત્તા મેળવનારી ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર બેરોજગારી દૂર કરવા નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો કરાયા હતા.

[google_ad]

 

 

ઉપરાંત શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા, કોરોના મૃતકોને સહાય આપવા અને પાલનપુર શહેરની ટ્રાફીકજામની તેેમજ બિસ્માર રોડ સહીતની સમસ્યાઓ હલ કરવા માંગ કરાઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

દેશભરમાં વધતી જતી મોંઘવારી અને સરકારની નિષ્ફળતાઓ સામે લોકોની વેદનાને વાચા આપવા માટેે સોમવારે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા લક્ષ્મણ ટેકરીથી કલેક્ટર કચેરી સુધીની જન જાગરણ પદયાત્રા યોજાઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

ચૂંટણીના સમયે યુવાનોને હથેળીમાં ચાંદ બતાવી રોજગારી આપવાનો વાયદો કરી સત્તા મેળવનારી કેન્દ્ર અને રાજ્ય સરકાર બેરોજગારોને રોજગારી આપવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો જીલ્લા કોંગ્રેસ દ્વારા કરાયા હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

 

ત્યારે શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્થું આપવા, કોરોના મૃતકોને સહાય આપવા અને પાલનપુર શહેરની ટ્રાફીકજામની અને ખરાબ રોડ-રસ્તા સહીતની સમસ્યાઓ હલ કરવાની માંગ પણ કરાઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share