દિન-પ્રતિદિન પાણીના તળ ઉંડા જતાં સૌથી વધુ ખેડૂતોને સિંચાઇ માટેની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે
દિયોદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ ડીસા તાલુકાના શેરપુરામાં આવેલ ખેત તલાવડીની મુલાકાત લીધી હતી.
તેમના વિસ્તારમાં પણ પાણીની સમસ્યાને હલ કરવા માટે જળ સંચય અભિયાનની કામગીરી કરવા માટે અટલ ભૂજલ યોજના સંસ્થાના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.
ડીસા જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. દિન-પ્રતિદિન પાણીના તળ ઉંડા જતાં સૌથી વધુ ખેડૂતોને સિંચાઇ માટેની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.
જે સમસ્યા નિવારવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી સહીત અટલ ભૂજલ યોજનાની ટીમ દ્વારા ખેત તલાવડીઓ બનાવી જળ સંચય અભિયાન શરૂ કર્યું છે.
ત્યારે દિયોદરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે તેમના મત વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાની નિવારવા માટે અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે.
જે અંતર્ગત તેમણે અટલ ભૂજલ યોજનાની ટીમ, સ્થાનિક ખેડૂતો અને અધિકારીઓ સાથે ડીસા તાલુકાના શેરપુરા ગામમાં અણદાભાઇ જાટના ખતેરમાં બનાવેલ ખેત તલાવડીની મુલાકાત લીધી હતી.
ખેત તલાવડી જોઇ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે ખેત તલાવડી, બોર રીચાર્જ કરવા માટે તેઓ જનસભાઓ કરશે અને આવનાર
સમયમાં વધારેમાં વધારે જળ સંચયનું કામ થાય તે માટે તેઓ સરકારને પણ ભલામણ કરી બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે તેઓ પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.
From-Banaskantha update