પાલનપુર-આબુરોડ હાઇવે પર અમદાવાદથી જયપુર જતી ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો. જેના કારણે ચાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સમયે બસમાં કુલ 55 મુસાફરો સવાર હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની ઇજાઓની ગંભીરતા હાલમાં અજ્ઞાત છે.
પાલનપુર તાલુકા પોલીસ અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હાલ ઘટનાનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. એવું માનવામાં આવે છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી.
મલાણા ટોલ પ્લાઝાના સ્ટાફે અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોને સહાય પૂરી પાડી હતી. તેઓએ ઘટનાને પગલે હાઇવે પર ફસાયેલા લોકોની મદદ કરી હતી.
From – Banaskantha Update