ધાનેરાના વાછોલના યુવકને અજાણ્યા શખ્સોએ ગોળી મારતાં મોત

- Advertisement -
Share

અજાણ્યા શખ્સોએ જંગલમાં ભૂંડ કે કોઇ જાનવરનો શિકાર કરવા ગોળી છોડી હોવાનું અનુમાન : ડી.વાય.એસ.પી. સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

 

ધાનેરા તાલુકાના વાછોલ ગામનો યુવક કોઇ કામ અર્થે ઉભા હતા. ત્યારે બપોરના સમયે કોઇ અજાણ્યા શખ્સો જંગલમાં ભૂંડ કે કોઇ જાનવરનો શિકાર કરવા ગોળી છોડી હોવાનું અનુમાન છે.
અજાણ્યા શખ્સોની બેદરકારીને કારણે ગોળી યુવકને માથાના ભાગમાંથી આરપાર નીકળી હતી. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડયો હતો જ્યાં તેનું કરુણ મોત નિપજ્યું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં રહેતાં પ્રવિણભાઇ ઓખાભાઇ માજીરાણા (ઉં.વ. આ. 28) મંગળવારે બપોરના સમયે વાછોલ નજીકના જંગલની ઝાડીમાં કોઇ કામ અર્થે ગયા હતા.
ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ ભૂંડ કે કોઇ જાનવરનો શિકાર કરવા ગોળી છોડી હશે જે યુવકના માથાની આરપાર નીકળી ગઇ હતી. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થઇ નીચે જમીન ઉપર પડી બેભાન થઇ ગયા હતા.

 

ત્યારે ગામના છોગાભાઇ ચોપાભાઇ મેઘવાળ ત્યાંથી નીકળ્યા હતા. તેમની નજર યુવક ઉપર પડતાં તેમણે યુવકના નાનાભાઇ છોગાભાઇ ઓખાભાઇ માજીરાણાને ફોન કરી જાણ કરી હતી.
તેમના 2 ભાઇઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. જેથી તાત્કાલીક બાપલા સરકારી દવાખાને ખસેડયો હતો.

 

યુવકની હાલત વધુ નાજુક જણાતાં 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતાં તાત્કાલીક પાંથાવાડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
મૃતકના ભાઇએ ગામની અંદર અજાણ્યો જંગલમાં ભૂંડ કે કોઇ જાનવરનો શિકાર કરતાં તેની બેદરકારીના કારણે ગોળી વાગતાં મોત થતાં અજાણ્યા શખ્સ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!