શિયાળુ સિઝન શરૂ થયાને એક માસ થવા આવ્યો છતાં હજી ખેતરો સુધી પાણી પહોંચ્યા નથી
વાવ તાલુકાના છેવાડે આવેલા રાધાનેસડા ગામમાં ખેડૂતોને હજી સુધી કેનાલનું પાણી મળ્યું નથી. ખેડૂતોએ દર દાગીના વેચી મોંઘાદાટ બિયારણના ખર્ચા કર્યાં પણ હજી સુધી કેનાલનું પાણી મળતું નથી. જેને લઇ ખેડૂતોમાં આક્રોશ ભભૂકયો છે.
રાધાનેસડામાં કેનાલ તો છે પણ પાણી આવતું નથી. જેને લઇ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને કોરી કટ કેનાલમાં જઇ કેનાલમાં તાપણું કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘શિયાળુ સિઝન શરૂ થયાને એક માસ થવા આવ્યો છતાં હજી ખેતરો સુધી પાણી પહોંચ્યા નથી.
અમે ખેતરોમાં ખેડ અને મોંઘાદાટ બિયારણ લાવી ખર્ચાઓ કર્યાં પણ પાણી ન મળતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોઇ સત્વરે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.’
From-Banaskantha update