વડગામના વહેમીલા શિક્ષકએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા ફરીયાદ

- Advertisement -
Share

વડગામના માલોસણનો અને હાલ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના પસાસવામાં ફરજ બજાવતાં શિક્ષકે તેની પત્ની ઉપર ખોટા વ્હેમ રાખી શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જ્યારે સાસુ- સસરાએ રૂપિયા પાંચ લાખના દહેજની માંગણી કરી હતી.

 

આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર ગુલાબપાર્ક સોસાયટીમાં રહેતા વનીતાબેન કાન્તિલાલ વણકરના લગ્ન વર્ષ 2009માં વડગામ તાલુકાના માલોસણા ગામે હિમાન્સુ કાન્તિભાઇ સોલંકી સાથે થયા હતા.

 

જેમને લગ્ન જીવન દરમિયાન બે પુત્રો છે. હિંમાન્સુ સોલંકી કચ્છ જીલ્લાના રાપર તાલુકાના પસાસવામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેણે વનીતાબેન ઉપર ખોટો વ્હેમ રાખી મારઝુડ કરી શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ સસરા કાન્તીભાઇ મુળાભાઇ સોલંકી અને સાસુ કાંતાબેને મારો દિકરો શિક્ષક છે. અને તું કંઇ કમાતી નથી.

 

તારા બાપાએ તને લગ્ન સમયે કંઇ આપેલ નથી. જેથી જો ઘરમાં રહેવું હોય તો દહેજ પેટે રૂપિયા 5 લાખ આપવા પડશે. તેમ કહી ત્રણેય જણાંએ શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!