આર.ટી.ઓ. ઓફીસે બંધ કરેલું રીક્ષા પાર્કીંગ ચાલુ કરવા માંગ કરાઇ
બનાસકાંઠામાં રીક્ષા ચાલક એસોસીએશને આર.ટી.ઓ. ઓફીસે રીક્ષા પાર્કીંગ બંધ કર્યું હોવાથી સત્વરે ચાલુ કરવા માંગ કરી છે.
જે અંગે તેમણે બુધવારે જીલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. તાજેતરમાં બનાસકાંઠા જીલ્લામાં આર.ટી.ઓ. દ્વારા જૂની રીક્ષાઓના પાર્સિંગ બંધ કર્યાં છે.
કારણમાં ઓફીસ તરફથી રીક્ષાઓ પર ડીજીટલ મીટર લગાવવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ નવી રીક્ષાઓ ડીજીટલ મીટર વિના પાસ કરવામાં આવે છે. આ અંગે કોઇ પરિપત્ર અમારી માંગણી મુજબ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી.
જેના કારણે શ્રમિક રીક્ષા ચાલકોને નવી અને જૂની રીક્ષાઓનું પાર્સિંગ ન થતાં હોવાથી રોજની કમાણી કરી જીવન જીવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.હાલમાં સીટીમાં રીક્ષા ચલાવી શકાય તેવી સ્થિતિ નથી.
જેથી આપ રીક્ષા ચાલકો ઉપર દયા લાવી તાતી મુશ્કેલીઓ દૂર કરાવવા આવે જ્યાં સુધી સરકાર તરફથી આ બાબતે કોઇ પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી શ્રમજીવી રીક્ષા ચાલકોને રાબેતા મુજબ જે રીક્ષા ચાલુ છે.
તેમને પાર્સિંગ વિના ટ્રાફીક પોલીસ તરફથી કે આર.ટી.ઓ. ઓફીસ તરફથી કનડગત ન થાય એવો ઓર્ડર કરવામાં આવે તેવી બનાસકાંઠા રીક્ષા ચાલક એસોસીએશને માંગ કરી છે.
From-Banaskantha update