થરાદના સાત ગામોને કેનાલના પાણીનું સંકટ ઊભું થયું, કેનાલમાં પાઇપલાઇન બ્લોક

- Advertisement -
Share

થરાદના જમડા નજીકની ઇઢાટાના ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાઇપલાઇન બ્લોક થતાં સાત જેટલા ગામોના ખેડૂતોને માથે સંકટના વાદળો ઘેરાયા છે. નર્મદા અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીનું સંકટ સર્જાયું હોવાનું ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

 

થરાદના જમડા નજીકની ઇઢાટાના ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ પસાર થાય છે. જેમાંથી જમડા, લેડાઉ, ભાચર, ઇઢાટા, લોરવાડા, પ્રતાપપુરા, ઢીમા સહિત ગામોના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે. આ કેનાલમાં પાઇપલાઇન બ્લોક થતાં સાત જેટલા ગામોના ખેડૂતોને માથે સંકટના વાદળો ઘેરાવા પામ્યાં છે. કેનાલ ચેનેજ 3200થી 3600 સુધીની જીઆરપી પાઇપ દબાતાં પાણીનું સંકટ સર્જાવા પામ્યું છે.

પાઇપલાઇન બ્લોક થતાં ખેડૂતોને પાક માટે પાણી ન આવતાં પરેશાન થઈ ઉઠ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટની બેદરકારીથી પાઇપ દબાતાં પાણી બંધ થયું હોવાનો રોષ પ્રકટ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદા નિગમના અધિકારીઓ આ બાબત છુપાવવા માટે ખોદકામ કરતાં જાણ થતાં ખેડૂતો એકઠા થયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!